
બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી
(૧) કોઇ વ્યકિત સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચાડે અથવા જેનાથી કદાચ સુલેહનો ભંગ થાય અથવા જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચે તેવું ગરકાયદે કૃત્ય કરે એવો સંભવ હોવાની માહિતી કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને મળે અને તેનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી કરવાનું પૂરતુ કારણ છે તો તેને યોગ્ય લાગેતે વધુમાં વધુ એક વષૅ સુધીની મુદત દરમ્યાન સુલેહ જાળવવા માટે મુચરકો અથવા જામીનખત કરી આપવાનો તે વ્યકિતને હુકમ શા માટે ન કરવો તેનું કારણ દર્શાવવા તે વ્યકિતને આમા હવે પછી જોગવાઇ કરેલી રીતે તે ફરમાવી શકશે.
(૨) જેની સ્થાનિક હકૂમતની અંદર સુલેહનો ભંગ અથવા અશાંતિ થવાનો ભય હોય તેવું સ્થળ આવેલું હોય અથવા તે હદની બહાર સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચાડે એવુ અથવા ઉપયુકત પ્રકારનું ગેરકાયદે કૃત્ય કરે એવો સંભવ હોય તેવી વ્યકિત જેની સ્થાનિક હકૂમતની અંદર હાજર હોય તે એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કલમ હેઠળની કાયૅવાહી કરી શકાશે.
Copyright©2023 - HelpLaw